બોલિવુડની બોલકી એક્ટ્રેસ કંગના રાનોટે વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહના એક નિવેદન પર જોરદાર ગુસ્સો કાઢ્યો. તેણે કહ્યું કે ઇન્દિરા જયસિંહ જેવી સ્ત્રીઓની કૂખેથી બળાત્કારી પેદા થાય છે. આવી સ્ત્રીઓને બળાત્કારીઓની સાથે 4 દિવસ જેલમાં રાખવા જોઇએ. જો કે વાત એમ છે કે થોડાંક દિવસ પહેલાં ઇન્દિરાએ નિર્ભયાના માતા આશા દેવીને અપીલ કરી હતી કે તેમણે દોષિતોને માફ કરી દેવા જોઇએ. જયસિંહના આ નિવેદન પર નિર્ભયાના માતા ભડકયા હતા.

તેમણે કહ્યું હતું કે ઇન્દિરા જયંસિહના આ રીતના ઝુકાવની હિંમત કેવી રીતે થઇ. તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં તેમને કેટલીય વખત મળ્યા, પરંતુ તેમણે એક પણ વખત તેમના હાલ-ચાલ પૂછયા નથી. આજે તેઓ દોષિતોના હકમાં બોલી રહ્યા છે. આશાદેવીએ ગંભીર આરોપ મૂકતા કહ્યું કે આવા લોકો બળાત્કારીઓનો સપોર્ટ કરીને પોતાની રોજી રોટી ચલાવે છે, આથી પીડિતોને ન્યાય મળતો નથી.
આપને જણાવી દઇએ કે કંગનાની ફિલ્મ પંગા 24મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે. ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગ દરમ્યાન એક પત્રકાર પરિષદમાં જ્યારે કંગનાને નિર્ભયા રેપકેસના દોષિતો અંગે પૂછવામાં આવ્યું તો તેણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. કંગનાએ કહ્યું કે આવા લોકોને ફાંસી પર લટકાવા જોઇએ. કંગનાએ કહ્યું કે તેમાંથી એક તો માઇનોર હતો. જે રેપ કરે છે અને જે રેપ કરવા કાબેલ છે તેને કયા હિસાબથી માઇનોર ગણાવી શકાય છે. કંગનાએ કહ્યું કે રિપ્રોડ્યુસ કરી શકે છે, જે રેપ કરી શકે છે તે માઇનોર છે જ નહીં. આવા લોકોને ચાર રસ્તાઓ પર મારવા જોઇએ, તેમને ત્યાં જ લટકાવી દેવા જોઇએ. તેમને ખબર હોવી જોઇએ કે રેપ શું હોય છે અને તેની સજા શું હોય છે.

మరింత సమాచారం తెలుసుకోండి: