બોલીવુડ એક્ટર ઇરફાન ખાનની તબિયત અચાનક બગડી જવાના કારણે તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું નિધન થયું હતુ. તે સમયે એવા સમાચાર હતા કે એક્ટરે વિડીયો કોન્ફરન્સ દ્વારા માના અંતિમ દર્શન કર્યા હતા. અત્યારે ઇરફાન ખાન મુંબઈમાં છે.

 

બે વર્ષ પહેલા માર્ચ 2018માં ઇરફાનને પોતાની બીમારીની જાણ થઈ હતી. તેમણે ખુદ પોતાના ફેન્સને આ શૉકિંગ સમાચાર આપ્યા હતા. તેમણે ટ્વીટ કરીને પોતાની બીમારીની જાણ કરી હતી. તેમણે લખ્યું હતુ કે, ‘જિંદગીમાં અચાનક કંઇક એવું થઈ જાય છે જે તમને આગળ લઇને જાય છે. મારી જિંદગીનાં છેલ્લા કેટલાક દિવસ આવા જ રહ્યા છે, પરંતુ મારી આસપાસ હાજર લોકોનાં પ્રેમ અને તાકાતે મને આશા જગાવી છે.’

 

તેમણે આગળ લખ્યું હતુ કે, ‘આની સારવાર માટે હું વિદેશ જઇ રહ્યો છું. મારી તમામને પ્રાર્થના છે કે તેઓ મારા માટે પ્રાર્થના કરતા રહે. મારી બીમારીને લઇને ન્યૂરોની જે અફવા ફેલાવવામાં આવી રહી છે તે માટે જણાવી દઉં કે ન્યૂરો હંમેશા બ્રેઇન માટે નથી હોતુ. જે લોકોએ મારા નિવેદનની રાહ જોઇ, મને આશા છે કે હું ફરી વધારે સ્ટોરી લઇને પરત આવીશ.’ 53 વર્ષિય ઇરફાન ખાનની લંડનમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેઓ બોલીવુડથી દૂર રહ્યા.

మరింత సమాచారం తెలుసుకోండి: