પાડોશી દેશ પાકિસ્તાનનું જુઠ્ઠાણું એક વખત ફરીથી બેનકાબ થઇ ગયું છે. તેણે તાજેતરમાં આતંકી મસૂદ અઝહરના ગુમ થયાની વાત કહી હતી, પરંતુ હવે ખબર પડી છે કે તે પાકિસ્તાનમાં જ છુપાઇને બેઠો છે અને પાકિસ્તાન સરકારને તેની ખબર પણ છે. છતા આતંકવાદી મસુદનું સરનામું આપવા પાક સરકાર રાજી નથી, પરંતુ આ છાની રાખેલી વાત હવે ખબર પડી ગઇ છે. 

 

મળતી માહિતી પ્રમાણે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર હાલ પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં રહે છે. બહાવલપુરના રેલવે લિંક રોડ પર તેનું ઘર છે. મળતી માહિતી પ્રમાણે જે જગ્યાએ મસૂદ અઝહર છુપાઇને બેઠો છે તે બહાવલપુર આતંકી હેડક્વાર્ટરની પાછળ છે. ત્યાં ખૂબ જ ટાઇટ સિક્યોરિટી પણ છે. બોમ્બ હુમલો પણ આ ઘર પર અસર કરી શકશે નહીં.

 

મસૂદના બીજા ત્રણ ઘરની પણ ખબર પડી છે. તેમાં કસૂર કોલોની બહાવલપુર, મદરસા બિલાલ હબસી ખૈબર પખ્તૂનખ્વા અને મદરેસા મસ્જિદ-એ-લુકમાન ખૈબર પખ્તૂન્ખવા સામેલ છે. આપને જણાવી દઇએ કે 2016મા પઠાનકોટ હુમલાથી સંબંધિત જે ડોઝિયર પાકિસ્તાનને સોંપ્યું હતું તેમાં એક ફોન નંબર પણ એવો હતો જેની લિંક બહાવલપુર ટેરર ફેકટરીથી હતો. 

 

ઉલ્લેખનિય છેકે મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો ચીફ છે અને ભારતમાં થયેલી કેટલીય આતંકી ઘટનાઓનો માસ્ટરમાઇન્ડ છે. ગયા વર્ષે પુલવામામાં 14મી ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલાની જવાબદારી પણ જૈશ એ જ લીધી હતી. 

మరింత సమాచారం తెలుసుకోండి: