રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 19 જૂન બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

 

ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળસપાટી હાલ એટલે કે જૂનની મધ્યમાં 127.70 મીટર થઈ છે. જે આ સીઝનની સહુથી મહત્તમ સપાટી છે ઉપરાંત ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ચાલતાં ટર્બાઇનને કારણે આજે પણ 29740 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને કારણે હાલ છ માસ બાદ નર્મદા બંધના રીવેરબેડ પાવર હાઉસ અને કેનાલહેડ પાવર હાઉસના ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે. જેને કારણે કુલ 29187 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.  પરંતુ હાલ જે નર્મદા બંધના જળવિદ્યુત મથકો ચાલે છે તેનાથી સરકારને દરરોજની 17 મિલિયન વીજ યુનિટથી લગભગ રૂપિયા 3.51 કરોડની આવક પણ થઇ રહી છે. એટલે કે ગઈ સિઝનનાં સારા વરસાદના પગલે ચાલુ સાલે પણ સારો વરસાદ રહેતાં ડેમમાં પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિતથી રહ્યો છે. 

 

વધુ પડતા વરસાદ પડવાને કારણે નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. પ્રથમ ફ્રેઝમાં ડેમના 40 દરવાજામાંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતાની સાથે જ નદી કિનારે આવેલાં ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: