આઈઆઈટી કાનપુરમાં કોવિડ -19 સામે સતત બચાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દિવસોમાં કોરોના વાયરસનો ખાત્મો કરનાર એન-95 માસ્ક આઈઆઈટી કાનપુરમાં તૈયાર થઈ રહ્યું છે, આ માસ્કના કારણે કોરોના વાયરસ તેમા દાખલ થતાંની સાથે જ તેનો ખાત્મો થઇ થશે. તે સંપૂર્ણપણે એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ હશે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેને બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

 

આ માસ્કમાં ધાતુવાળા નેનો કણો અને વિશેષ કોટિંગનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19 જેવા બધા વાયરસ તેના સંપર્કમાં આવતાંની સાથે જ મરી જશે. માસ્કમાં ચાર લેયરો હશે. પ્રથમ સ્તર કુરિયર ફિલ્ટર, બીજો સ્તર માઇક્રો ફિલ્ટર, ત્રીજો સ્તર નેનો ફિલ્ટર અને ચોથો સ્તર સુપર નરમ હશે. આ માસ્ક ફરીથી વાપરી શકાય તેવું પણ હશે.

 

આઈઆઈટી કાનપુરના પૂર્વ વિદ્યાર્થી સંદીપ પાટિલ કહે છે કે આઇઆઇટી કેમિકલ એન્જિનિયરિંગ અને કેમિસ્ટ્રી વિભાગ સાથે મળીને આ કામ કરી રહ્યા છે. અહિં એન-95 અને એન-99 માસ્ક પર કામ કરવામાં આવી રહ્યું છે. આ માસ્કમાં ઘણી બધી સુવિધાઓ હશે. તે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ હશે. તેનો ઉપયોગ વારંવાર કરી શકાશે.

మరింత సమాచారం తెలుసుకోండి: