દેશમાં કોરોના વાયરસનો ઝડપથી ફેલાવી થઇ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહેવાની છૂટ આપી છે. જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર કેટલીક શરતો પણ છે.

 

દર્દીની પાસે ઘરે આઈસોલેશનની વ્યવસ્થા હોવી જરૂરી છે. કોઈ પણ કોરોના સંક્રમિત હોમ આઈસોલેશનમાં ત્યારે જ જઈ શકે છે જ્યારે ડોક્ટર પોતાના રિપોર્ટમાં દર્દીને ઘરે જવાની મંજૂરી આપે. હોમ આઈસોલેશનમાં એક વ્યક્તિ 24 કલાક તેની સાથે રહેનારું હોવું જરૂરી. સમયસર દર્દીની તપાસ જરૂરી છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીને રિપોર્ટની જાણ કરાશે. હોસ્પિટલની સાથે જ તેને દરેક સમયે કોન્ટેક્ટ રાખવાનો રહેશે. નાની મોટી તકલીફની જાણકારી હોસ્પિટલને આપવાની રહેશે. દર્દીના મોબાઈલ ફોન પર આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમ પણ સમયાંતરે કોરોનાના દર્દીની તપાસ કરશે. જે પણ દર્દી હોમ આઈસોલેશનમાં જશે તેમણે એક ફોર્મ ભરવાનું રહેશે અને સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં પણ ફેરફાર કરાયા હતા. નવા ફેરફારો મુજબ, હળવા કેસેમાં ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટિંગની જરરીયાતને સમાપ્ત કરી દેવામાં આવી છે. દર્દીમાં લક્ષણ ન દેખાવા અને સ્થિતિ સામાન્ય લાગવા પર 10 દિવસની અંદર હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે. ડિસ્ચાર્જ થયા બાદ દર્દીએ હવે 14 દિવસની જગ્યાએ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. 14માં દિવસે ટેલી-કોન્ફરન્સ દ્વારા દર્દીનું ફોલો-અપ લેવામાં આવશે.

మరింత సమాచారం తెలుసుకోండి: